કશ્મીર ડાયરી October 15, 2006
Posted by Jaydeep in કશ્મીર ડાયરી.trackback
દંતકથા અનુસાર એવું મનાય છે કે, પ્રાગૈતિહાસિક કાળમાં, હાલમાં જ્યાં કશ્મીર છે ત્યાં ‘સતીસર’ નામે એક વિશાળ પર્વતમંડિત સરોવર હતું. ‘જલાદભવ’ નામનો રાક્ષસ આ સરોવરની ઉત્તર-પશ્ચિમ દિશાએ પાણીના પ્રવાહને રોકીને બેઠો હતો. કશ્યપ ઋષિએ પોતાની સર્વ આધ્યાત્મિક શક્તિ આ રાક્ષસના સંહાર માટે ખર્ચી. ભગવાન શંકર પાસેથી કશ્યપ ઋષિને મળેલા વરદાનના પ્રતાપે, આ સરોવરનો પ્રવાહ વહેતો થયો અને અહીંની ભૂમિ મનુષ્ય જીવન માટે યોગ્ય બની. અત્યારના વૂલર, દલ, અંચર, હોકરસર અને બીજા અસંખ્ય નાના-મોટા સરોવરો એ ‘સતીસર’ના અવશેષો છે. કશ્યપ ઋષિના નામ પરથી કાળક્રમે આ ભૂમિ ‘કશ્મીર’ તરીકે ઓળખાઈ. અસંખ્ય શૈવ મંદિરો અને શક્તિમંદિરો સમગ્ર કશ્મીરમાં પથરાયેલા છે અને મહદ અંશે પ્રાચીન છે. ‘શિવરાત્રી’ એ કશ્મીરી પંડિતોનો સૌથી મહત્વનો તહેવાર છે.
‘શ્રીનગર’ નો પાયો સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં નાખ્યો. અત્યારે તો આ નગર ત્રાસવાદથી ઘાયલ છે. ઠેર ઠેર ગોળીઓના નિશાનવાળાં, ક્યાંક અર્ધ જલેલા અને કશ્મીરી પંડિતો દ્વારા ત્યજાયેલા મકાનો નગરને બિહામણું સ્વરૂપ જરૂર આપે છે. ઠેર ઠેર સલામતી દળોની નાકાબંધી અને તલાશી મનમાં થોડો ભય જગાવી દે છે. કેવી કમનસીબી છે આ ભૂમિની, કે જ્યાં એક તરફ પ્રાચીન-પ્રાગૈતિહાસિક અવશેષો ચારે તરફ વિખરાયેલા છે અને કુદરતે પોતાની અમાપ સુંદરતા બક્ષી છે; તો બીજી તરફ ભયાવહ ત્રાસવાદ એ બધાંને જાણે કે નષ્ટ કરવા પ્રતિબધ્ધ છે…છોડો એ બધું, આજે વાત કરીએ ‘હરિપર્બતની’:
જુનાં શ્રીનગરના હાર્દમાં રહેલ ‘હરિપર્બત’ વૈદીક વારસો જાળવીને બેઠો છે. 12મી સદીના ઈતિહાસકાર કલ્હણની ‘રાજતરંગિણી’માં એનો ઉલ્લેખ ‘કશ્મીરના આધ્યાત્મિક કેન્દ્ર’ તરીકે થયો છે. ‘હરિપર્બત’ ફરતે ઈ.સ. 1592માં સમ્રાટ અકબરે કિલ્લો બાંધ્યો. મહાભારત અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં એનો ઉલ્લેખ શક્તિની ‘प्रद्युम्नपीठम’ તરીકે થયેલો જોવા મળે છે. દેવી શારિકા તરીકે આ શક્તિ અહીં પૂજાય છે.
‘હરિપર્બત’ની ખાસિયત એ છે કે, એનો એક એક પથ્થર જાણે કે કુશળ ઘડવૈયાએ ઘડ્યો હોય એવું પ્રતીત થાય છે. સૌરાષ્ટ્રમાં જેમ ગિરનારની પરિક્રમા પવિત્ર મનાય છે, તેમ અહીં ‘હરિપર્બત’ની પરિક્રમા પણ પવિત્ર મનાય છે, પણ ત્રાસવાદના પ્રતાપે હવે કોઈ પરિક્રમા કરતું નથી. કશ્મીરી સાહિત્યકાર અને સંસ્કૃતના વિદ્વાન ગુલામ રસૂલ મીર ‘સંતોષ’ એ ‘હરિપર્બત’ ઉપર ઊંડું સંશોધન કર્યું છે. તેમનાં મંતવ્ય અનુસાર, ‘હરિપર્બત’ના ઘડાયેલા પથ્થરો મૂર્તિઓનું સ્વરૂપ છે. એવું પણ મનાય છે કે, ‘હરિપર્બત’માં 9 કરોડ દેવીઓનો નિવાસ છે.
હરિપર્બત’માં ઉપર એક તરફ દેવી શારિકાનુ મંદિર છે, બીજી તરફ, થોડાં નીચે આવતા મખદૂમી સાહેબની દરગાહ છે, જેને સ્થાનિક મુસ્લિમો પવિત્ર માને છે અને દરેક શુભ કાર્ય પહેલાં અહીં માથું ચોક્ક્સ ટેકવે છે. તળેટીમાં નીચે આવતાં, એક પુરાણું ગુરુદ્વારા છે. એની પણ એક અલગ દાસ્તાન છે, જે ફરી ક્યારેક.
કશ્મીર આવતા સૌ પ્રવાસીઓને મારી ભલામણ છે કે, ‘હરિપર્બત’ ચોક્ક્સ જાય અને ઉપરોક્ત ત્રણેય પવિત્ર ધામોની મુલાકાત જરૂરથી લે.
******************
બહુ મજા આવી ગઇ. ગુજરાતીમાં કશ્મીર કેમ લખ્યું છે તેની શિર્ષક વાંચતાં મૂંઝવણ થતી હતી. હવે તેની વ્યુત્પત્તિ ખબર પડી.
તમારા કશ્મીરના અનુભવો અને પ્રવાસ વર્ણનો આપશો તો અમને ઘણું જાણવા મળશે.
સુંદર માહીતી.
આભાર.
અને કશ્મીર આવતા પ્રવાસીઓ આપને મળવા આવે કે નહી?
just kidding…..
thanks
ચોક્ક્સ નીલમબહેન,
કોઈ કોઈ મળવા આવી પહોંચે છે અને ત્યારે ખૂબ આનંદ આવે છે.
-જયદીપ
Dear Jaydeep,
A quick question have you read a book “My frozen turbulence in Kashmir” by Jagmohan? If yes, let me know your views on it, if no then please read. But do email me your response.
Nice article.
I have enjoyed it very much. Please let us know more about your experiences in Kashmir.
kashmir……….!!
aapni najare joyu,ghano j aanand thayo…..!!
Its a pleasure to enjoy your wide reading ,at my home.
How long was your stay at Kashmir ? Which books you used to read there ? How many trips were made there ?
Wish an answer and oblige !