અલવિદા… વાદી-એ-કશ્મીર October 15, 2007
Posted by Jaydeep in કશ્મીર ડાયરી.4 comments
મિત્રો,
વાદી-એ-કશ્મીરને અલવિદા કહેવાનો વખત આવી ગયો છે. મારી બદલી શ્રીનગર, કશ્મીરથી રાજકોટ, ગુજરાત ખાતે થઈ છે. હું 19મી ઓક્ટોબર, 2007ના રોજ કાર્યમુકત થઈ, 29મી ઓક્ટોબર, 2007ના રોજ રાજકોટ કાર્યાલયમાં કામકાજની શરૂઆત કરીશ. કશ્મીરમાં વીતાવેલો સમય તો ક્યારેય નહીં ભૂલાય. અહીં મળેલા મિત્રો અને શીખેલા પાઠોએ જીવનને એક નવી જ રાહ બક્ષી છે, અને એ માટે કશ્મીર પોસ્ટિંગ હંમેશા માટે અવિસ્મરણીય બની રહેશે. 
વતનવાપસીથી આ બ્લોગ પર સાહિત્યની સરવાણી વધારે જોશથી વહેશે એવી અપેક્ષા.
રાજકોટ જઈને આપને પુન: જલદીથી મળું એવી આશા સહ……. જયદીપ ટાટમીયા, શ્રીનગર.