કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે,
ચિત્રકાર કલાકૃતિ નીચે પોતાનું નામ લખે છે;
પણ ઈશ્વર?
ઈશ્વર જેવો કોઈ મહાન કલાકાર નથી—
એ માનવીને સર્જે છે,
પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો,
અને લખે છે, ત્યારે એ માતાનું નામ લખે છે.
પણ માતાય ઈશ્વરની મહાનતાનું પ્રતીક છે:
એ બાળકને એના પિતાનું નામ આપી દે છે…
–બરકત વીરાણી
Advertisement