Feed on
Posts
Comments

Archive for the ‘મારી પ્રિય કવિતાઓ’ Category

ભીમ: મહારાજ, ખાવા ધાય
હિમાદ્રિની ભેખડો આ કારમી, સુણાય માત્ર
શ્વાસોચ્છવાસનો અવાજ અને પૂઠે આવતા આ
સ્નેહલુબ્ધ શ્વાન તણી હાંફ કેરો. ધર્મરાજ,
અર્જુન શેં પડ્યો?
યુધિષ્ઠિર: ભાઈ, ભીમ, કહું તને સત્ય?
ગાંડીવધન્વાએ કહ્યું. એક દિનમાં હું શત્રુ
સમસ્તને ભસ્મસાત્ કરી દઉં. કિંતુ ન એ
શક્ય બન્યું એનાથી, ને ખપ્યો ખોટા શૂરમાની
મહીં એ. હતું એને કે ધનુર્ધર કો ન હું-શો.
ભીમ: એને નહિ, મને અને [...]

Read Full Post »

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી!
આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
નજરુંની બાંધી દીધી બેડી!
હૈયાનાં દ્વાર હજી ખૂલ્યાં–અધખૂલ્યાં ત્યાં
અણબોલી વાણી તેં જાણી!
અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
પૂનમની ચાંદની માણી!
પળની એકાદ કૂણી લાગણી પ્યાલીમાં,
આયુષની અમીધાર રેડી.
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી!
                                         -ગીતા પરીખ

Read Full Post »

ભીમ: ધબ અવાજ ફરી થયો.
પડ્યું શું કો?
અર્જુન: નકુલ…
યુધિષ્ઠિર: હા, જોડિયો એ બંધુ શેણે
દૂર રહે ઝાઝો સહદેવ થકી?
નકુલ: જાણું છું હું–
સહદેવ જેટલોયે ખપનો હું ન્હોતો કદી,
ભારતના મહાયુદ્ધે અર્પણ નથી કૈં મારું
એવું, કિંતુ જનકુલે જીવવું વર્તવું રહેવું
કેવી રીતે તેનો કૈં મેં પ્રત્યક્ષ પદાર્થપાઠ
છે ખરો. આ ક્ષણે ક્ષીણ પ્રાણશક્તિ થયે
પડ્યો હું ઢળી અવશ અસુભગ જે પ્રકારે
નથી તે ગમ્યું [...]

Read Full Post »

                 (સોરઠા)
ઘન અષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ,
દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે.
મચવે ધૂન મલ્હાર કંઠ ત્રિભંગે મોરલા,
સળકે અંતરમાંહ્ય સાજણ! લખલખ સોણલાં.
ખીલી ફૂલ બિછાત, હરિયાળી હેલે ચઢી,
વાદળની વણઝાર પલ પલ પલટે છાંયડી.
ઘમકે ઘૂઘરમાળ સમદરની રણઝણ થતી,
એમાં તારી યાદ અંતર ભરી ભરી ગાજતી.
નહિ જોવાં દિનરાત : નહિ આઘું ઓરુ કશું;
શું ભીતર કે બહાર, સાજણ ! તું હિ તું [...]

Read Full Post »

સહદેવ: તમને મારાય…
ભીમ: અરે,
કોણ પડ્યું? સહદેવ?
યુધિષ્ઠિર: માદ્રેય? ના, ના, મને લો
કૌન્તેયને પ્હેલો.
સહદેવ: પ્હેલો પાંચાલી પછી તો હું જ
હોઉં એ ઉચિત થશે. જીવનમાં ર્દષ્ટિ સામે
જોતો એની વિમાનના સ્પષ્ટ હું, ને મૂક રહેતો.
થતું ન કાંઈ હુંથી. મૃત્યુમાં હું સાથ આપું
પ્હેલો એને. જય હો હે બંધુવરો, જીવનનો.
મૃત્યુખોળે છોડી મને—અમને પધારો ચારે
આગે. મારા જ્ઞાનને તણે મુખે જે લાગેલ તાળું
મૌનનું તે [...]

Read Full Post »

* માધ્યમિક શાળામાં ભણતાં ત્યારે ‘મહાપ્રસ્થાન’નો અંતિમ-યુધિષ્ઠિરના સ્વર્ગપ્રવેશ વાળો -ભાગ ભણવામાં આવતો હતો. ત્યારનું આ કાવ્ય હૈયે વસી ગયેલું. અહીં પાંચાલીથી શરૂ કરી ક્રમશ: પાંચેય પાંડવનો ભાગ રજુ કરીશ…*
યુધિષ્ઠિર:   હિમાદ્રી હે ! ભવ્ય તારાં શિખરોથી ભવ્યતર,
                  ઉચ્ચતર, શુભ્રતર ચારિત્ર્યલક્ષ્મી વડે જે,
                  ક્યાં છે તે સૌ પુરુષોમાં પુરુષોત્તમ, પ્રબુદ્ધ ?
                  ક્યાં છે તે મહામનીષી ? ક્યાં [...]

Read Full Post »

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !
રચો, રચો ચંદનવાટિકાઓ,
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા રચો ભલે !
અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા સંકેલવા,
કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !
(વીસાપુર જેલ, એપ્રિલ 1932)      -ઉમાશંકર જોશી

Read Full Post »

શબ્દને ખોલીને જોયું,
મળ્યું મૌન.
શબ્દ થઈ બેઠો દુર્ભૈદ્ય.
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.
શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરકૃતિ.
શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ.
(અમદાવાદ 11-07-1967) – ઉમાશંકર જોશી

Read Full Post »

ઊનાં રે પાણીનાં અદભૂત માછલાં–
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ;
સાચાં તો યે કાચાં જાણે કાચના બે કાચલાં:
ઊનાં રે પાણીનાં અદભૂત માછલાં.
સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ;
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં:
ઊનાં રે પાણીનાં અદભૂત માછલાં.
જલના દીવા ને જલમાં ઝળહળે
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ;
ઝેર ને અમરત એમાં આગલાં [...]

Read Full Post »

વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી;
ઢળી  પલંગને  પાયે  સુંદરી  રડતી  હતી !
ન્હાના સાદા શયનગૃહમાં સ્વચ્છ દીવો બળે છે,
વિદ્યુદ્વલ્લિ પ્રબલ ચમકી જ્યોતિ સાથે મળે છે;
સાહિત્યો કૈં બહુ નહિ દિસે, એક પર્યંક માત્ર,
થોડાં ઝીણાં રજનીવસનો, પાસમાં વારિપાત્ર.
અષાઢી કૃષ્ણ રાત્રિના બાર વાગી ગયા હતા;
પતિની રાહ જોવામાં બે કલાક થયા હતા !
વારે વારે પ્રથમ દિવસો લગ્નના યાદ લાવે,
સાથે સાથે [...]

Read Full Post »

Older Posts »